1. અખબારી યાદી તા. ૨ / ૯/ ૨૦૧૧ <br />અમદાવાદ:<br />ગણપતિ ને આવકારતા પત્રકારત્વના વિદ્યાર્થીઓ.<br />અમદાવાદ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન & જર્નાલીઝમ દ્વારા તા.1-9-2011 ના રોજ ગણેશ ચતુર્થી ના શુભ અવસર પર ગણપતિ ને આમંત્રિત કરી ને તેમની સ્થાપના કરી છે. આ અવસર પર કોલેજ ના ડાયરેક્ટર શ્રી શિરીષ કાશીકરે ગણપતિ ની પુજા વિધિ કરીને સ્થાપના અને આરતી કરી હતી. આ શુભ અવસર પર કોલેજ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન હાજર રહ્યા હતા.<br />આ પ્રસંગ ને પાર પાડવા સેમ 1 અને સેમ 3 ના વિધ્યાર્થીઓ એ સહિયારી કામગીરી કરી હતી. કોલેજ માં આ મહોત્સવ ૩ દિવસ ચાલશે અને ૩ દિવસ સુધી અહી ગણપતિ ની પૂજા અને આરતી નો લાભ વિદ્યાર્થીઓ ઉઠાવશે. શનિવારે બપોરે ૩:૦૦ વાગ્યે ઇન્સ્ટીટ્યુટ માંથી ગણપતિજી ની વિસર્જન યાત્રા નીકડશે.<br />